મૂળ ગુજરાતના નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફસાયા: શાં માટે પૃથ્વી પર આવી શકતા નથી? અમેરિકા ખામી શોધવા મારે છે ફાંફાં; અવકાશી ભંગારે સર્જી મુશ્કેલી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan28062024_115713_1 (2).webp)
- 28 Jun, 2024
વિપરીત સંજોગોના પગલે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના બંને અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને હાલ બોઈંગના સ્ટારલાઈનર અને અન્ય વ્હીકલ્સમાં તાત્કાલિક આશ્રો લેવાની ફરજ પડી છે. અવકાશમાં પડેલા ભંગારના પગલે ઓર્બિટિંગ લેબોરેટરીને જોખમ હોવાનું ટાંકીને આ આદેશ આપવામાં આવ્યો છે. મિશન કન્ટ્રોલે તમામ ક્રુ મેમ્બર્સને ચેતવણી આપતા જણાવ્યું કે તેઓ હાલ પોતાના સ્પેસક્રાફટમાં જ રહે. સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે હાલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 5 જૂનથી છે. તેમણે સ્ટારલાઈનર કેપ્સુલમાં આશ્રય લેવાની ફરજ પડી છે.
એક કલાક જેટલો સમય મિશન કન્ટ્રોલે અવકાશી ભંગારના માર્ગનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આ સમય દરમિયાન બંને અવકાશીયાત્રીઓને બીજે આશ્રય લેવા કહ્યું હતું. જોકે થોડા સમય પછી અવકાશી ભંગારથી કોઈ જોખમ ન હોવાનું જાણીને અવકાશયાત્રીઓને સ્પેશક્રાફટ છોડીને તેમની સામાન્ય કામગીરી કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ ઘટનાએ અવકાશી ભંગાર તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવા સંજોગોમાં સ્ટારલાઈનર જ અવકાશયાત્રીઓને બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્ટારલાઈનર સ્પેસક્રાફટમાં ખામી સર્જાવવાના કારણે સુનિતા વિલિયમ્સ અને વિલમોરને હાલ વધુ સમય અવકાશમાં રહેવાની ફરજ પડી છે. આ દરમિયાન અવકાશી ભંગારનું વધુ એક જોખમ સર્જાતા તેમની મુશ્કેલી વધી હતી.
નોંધનીય છે કે બંને અવકાશયાત્રીઓ અવકાશના 8 દિવસના મિશન પર હતા. જોકે હાલ તેમને અવકાશમાં ત્રણ વીકથી વધુ સમય થઈ ગયો છે. હાલ નાસા અને બોઈંગ મળીને સ્ટારલાઈનર સ્પેસક્રાફટમાં સર્જાયેલા હિલિયમ લીક અને થ્રસ્ટરની સમસ્યાનો અંત આણવાની કોશિશ કરી રહ્યાં છે.
હાલ આ એક મોટો પડકાર હોવા છતાં નાશાએ આ અંગે કહ્યું છે કે સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત પાછા લાવવા સક્ષમ છે. ક્રુ સેફટી માટે સ્પેસક્રાફટની ભૂમિકા ખૂબ જ મહત્વનું હોવાનું આ પ્રસંગ પરથી કહી શકાય છે. છેલ્લા થોડા સમયથી વધી ગયેલી સ્પેસ એક્ટિવિટીના પગલે હાલ અવકાશી ડેબરીનું મેનેજમેન્ટ કરવું પણ જરૂરી હોવાનું આ ઘટના પરથી નક્કી થાય છે.